Breaking News
BigRoz Big Roz
Home / Breaking News / પશ્ચિમ બંગાળમાં ભાજપના કાર્યકર્તાઓની હત્યાના વિરોધમાં ઝાલોદમાં ધરણા યોજાયા.

પશ્ચિમ બંગાળમાં ભાજપના કાર્યકર્તાઓની હત્યાના વિરોધમાં ઝાલોદમાં ધરણા યોજાયા.

જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રભાઈ સોની એક અખબારી નિવેદનમાં જણાવે છે કે પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીઓમાં અને ત્યાર બાદ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પર હુમલા કરવામાં આવ્યા , કાર્યકર્તાના ઘર સળગાવી દેવામાં આવ્યા , કાર્યકર્તાની હત્યા કરવામાં આવી તેના વિરોધમાં ઝાલોદ નગરમાં ઘરણા પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

  પશ્ચિમ બંગાળમાં થયેલી હત્યાને ભાજપ ઝાલોદ નગર/તાલુકો સખત શબ્દોમાં વખોડી કાઢે છે અને પશ્ચિમ બંગાળના કાર્યકર્તાઓને ભાજપ ઝાલોદના કાર્યકર્તાઓ સંદેશો આપવા માગે છે કે આવા ઘટનાઓમાં તે એકલા નથી એમના દુઃખ માં અમે તમારી સાથે સાથે છે.

આવનારા સમયની અંદર જ્યારે પણ ચૂંટણી આવશે ત્યારે ભારતીય જનતા પાર્ટી ઝાલોદ શહેર પશ્ચિમ બંગાળમાં આવશે અને ખભે ખભા મિલાવી સરકાર કેવી રીતે બને તે માટે પ્રચારમાં પણ જોડાશે.આ ધરણાં માં ઝાલોદ શહેરમાંથી ટપુભાઈ વસૈયા, જેસિંગભાઈ વસૈયા , દિનેશભાઇ પંચાલ , મુકેશભાઈ ડામોર , અનિતાબેન મછાર , જીતુભાઇ શ્રીમાળી , રામચંદભાઈ , કેતનભાઈ પંચાલ, મખજીભાઈ બારીયા , જગુભાઈ ગારી , વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

ખબર 24 એક્સપ્રેસ ગુજરાત બીયુરોચીફ નાગેશ્વર સેન દાહોદ


Discover more from Khabar 24 Express | India's Leading Hindi News Network

Subscribe to get the latest posts sent to your email.

Check Also

बुलंदशहर में मुकेश हत्याकांड के दो शूटर पुलिस मुठभेड़ में गिरफ्तार, गोली लगने के बाद अस्पताल में भर्ती

बुलंदशहर में मुकेश हत्याकांड के दो शूटर पुलिस मुठभेड़ में गिरफ्तार, गोली लगने के बाद अस्पताल में भर्ती

Leave a Reply

Discover more from Khabar 24 Express | India's Leading Hindi News Network

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Subscribe