દાહોદ, તા. ૩૦ : જિલ્લા સેવા સદન, દાહોદ ખાતે આજ રોજ શહીદ દિન નિમિત્તે સવારે ૧૧.૦૦ કલાકે કલેક્ટર શ્રી વિજય ખરાડી સહિતના અધિકારીઓ, કર્મચારીઓએ બે મિનિટનું મૌન પાળીને શહીદવીરોને શ્રદ્ધાંસુમન અર્પણ કર્યા હતા. ભારતના સ્વાતંત્ર્ય સગ્રામમાં પોતાના પ્રાણનું બલિદાન આપ્યું છે તેવા શહીદોની સ્મૃતિમાં આ શ્રદ્ધાંજલી કાર્યક્રમ યોજાયો હતો.
શહીદ દિન નિમિત્તે જિલ્લા સેવા સદન પ્રાંગણમાં કલેક્ટર શ્રી વિજય ખરાડી, નિવાસી અધિક કલેક્ટર શ્રી એમ.જે. દવે તથા જિલ્લા સેવા સદન ખાતેની વિવિધ કચેરીઓના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા અને શહીદ દિન નિમિત્તે બે મિનિટનું મૌન પાળ્યું હતું. આ ઉપરાંત જિલ્લાની વિવિધ કચેરીઓમાં પણ સવારે ૧૧ વાગ્યે અધિકારીઓ-કર્મચારીઓએ બે મિનિટનું મૌન પાળીને શહીદોના બલિદાનને યાદ કરી શ્રદ્ધાંજલી આપી હતી.
૦૦૦
ખબર 24 એક્સપ્રેસ
નાગેશ્વર સેન દાહોદ
ગુજરાત બીયુરોચીફ
7046059323