Breaking News
BigRoz Big Roz
Home / Breaking News / કાલથી દાહોદમાં કોરોના સામે રસીકરણનો થશે પ્રારંભ દાહોદ જિલ્લામાં ચાર વેક્સીન સેશન સેન્ટર ઉપરથી, ૮ હજારથી વધુ આરોગ્યકર્મીઓને રસી અપાશે

કાલથી દાહોદમાં કોરોના સામે રસીકરણનો થશે પ્રારંભ દાહોદ જિલ્લામાં ચાર વેક્સીન સેશન સેન્ટર ઉપરથી, ૮ હજારથી વધુ આરોગ્યકર્મીઓને રસી અપાશે

કોરોના મહામારીને મહાત કરવા માટે દાહોદ જિલ્લો સજ્જ થઇ રહ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કરેલી જાહેરાત મુજબ આવતી કાલ શનિવારથી દાહોદ જિલ્લાના ચાર સેશન લોકેશન ઉપરથી કોરોના વેક્સીનેશન કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવશે. વેક્સીનેશનના પ્રારંભિક તબક્કે દાહોદના ૮ હજારથી પણ વધુ આરોગ્યકર્મીને આવરી લેવામાં આવશે.

દાહોદમાં ચાલનારા વેક્સીનેશન કાર્યક્રમની માહિતી આપતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રમેશ પહાડિયાએ જણાવ્યું કે, દાહોદમાં ઝાયડ્સ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, દેવગઢ બારિયા, લીમખેડા અને ફતેપુરા ખાતે કાલ તા. ૧૬મીથી સેશન ચલાવવામાં આવશે. આજ સાંજ સુધીમાં વેક્સીનના ડોઝ ત્યાં પહોંચી જશે.

એક વ્યક્તિને અડધા મિલિમિટરનો ડોઝ આપવામાં આવશે. ૨૮ દિવસ બાદ ફરી ડોઝ આપવામાં આવશે. તે દરમિયાન રસી લેનાર વ્યક્તિની તકેદારી લેવામાં આવશે. તમામ આરોગ્ય કર્મચારીઓને અલગ અલગ દિવસે રસી લેવા માટે બોલાવવામાં આવશે. ઇન્ટ્રા મસ્ક્યુલર પદ્ધતિથી રસી આપવામાં આવશે. એટલે, રસી અંગેની કોઇ નિશાની શરીરમાં નહી રહે. ધાત્રી કે સગર્ભા કર્મચારીઓને રસી આપવાની નથી.

દાહોદમાં પ્રતિદિન ચાર સો આરોગ્યકર્મીઓને રસી આપવામાં આવશે. એટલે કે, એક સેશન સેન્ટર ઉપરથી રોજના ૧૦૦ આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવશે.

દાહોદ જિલ્લામાં ઝાયડ્સ ખાતેથી ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા, દેવગઢ બારિયા ખાતેથી રાજ્ય મંત્રી શ્રી બચુભાઇ ખાબડ, લીમખેડા ખાતેથી સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર અને ફતેપુરથી વિધાયક શ્રી રમેશભાઇ કટારા સવારે ૧૦ વાગ્યે રસીકરણનો પ્રારંભ કરાવશે.


૦૦૦

ખબર 24 એક્સપ્રેસ, નાગેશ્વર સેન દાહોદ ગુજરાત બીયુરોચીફ


Discover more from Khabar 24 Express Indias Leading News Network, Khabar 24 Express Live TV shows, Latest News, Breaking News in Hindi, Daily News, News Headlines

Subscribe to get the latest posts sent to your email.

Check Also

Mumbai Family Death Mystery: Watermelon Not the Cause Behind 4 Deaths, Forensic Probe Reveals Shocking Details

Mumbai Family Death Mystery: Watermelon Not the Cause Behind 4 Deaths, Forensic Probe Reveals Shocking Details

Leave a Reply

Discover more from Khabar 24 Express Indias Leading News Network, Khabar 24 Express Live TV shows, Latest News, Breaking News in Hindi, Daily News, News Headlines

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading