Breaking News
BigRoz Big Roz
Home / Breaking News / દાહોદ ભાજપના ૩૩ પદાધિકારીઓને ચૂંટણીમાં ટીકીટ મળતા સંગઠનની જવાબદારીમાંથી રાજીનામાં આપ્યા.

દાહોદ ભાજપના ૩૩ પદાધિકારીઓને ચૂંટણીમાં ટીકીટ મળતા સંગઠનની જવાબદારીમાંથી રાજીનામાં આપ્યા.

દાહોદ જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રભાઈ સોની એક અખબારી નિવેદનમાં જણાવેછે કે દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સંગઠનનાં પદાધિકારીઓએ સ્થાનિક સ્વરાજ્યની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકામાં ટિકિટ મળતા પોતાના રાજીનામાં સંગઠનને સુપરત કર્યા હતા.

   ચાલુ વર્ષે સ્થાનિક સ્વરાજ્યની તાલુકા પંચાયત , જિલ્લા પંચાયત , નગરપાલિકા ની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ એ બનાવેલા આદર્શ નિયમો જેવા કે કોઈપણ સંગઠનાત્મક જવાબદારી નિભાવતા પદાધિકારી એ ટિકિટ મળતા પોતાના સંગઠનના પદ પરથી રાજીનામું આપવાનું રહેશે , ૬૦ વર્ષથી ઉપરના કોઈપણ વ્યક્તિને ટિકિટ ન આપવી તેમજ ચૂંટણીમાં ત્રણ વખત વિજેતા થયા હોય તેવા લોકોને પણ ટિકિટના આપવાનો જે આદર્શ નિયમ બનાવ્યો તેના અનુસંધાને દાહોદ જિલ્લામાં પણ ભારતીય જનતા પાર્ટીના વિવિધ પદો પર  જવાબદારી નિભાવતા 33 પદાધિકારીઓએ ચૂંટણીમાં ટિકિટ મળતા પોતાના સંગઠનનાં પદ પરથી રાજીનામા દાહોદ જિલ્લા પ્રમુખને મોકલી આપ્યા છે.


ખબર 24 એક્સપ્રેસ
નાગેશ્વર સેન દાહોદ
ગુજરાત બીયુરોચીફ


Discover more from Khabar 24 Express | India's Leading Hindi News Network

Subscribe to get the latest posts sent to your email.

Check Also

बुलंदशहर में मुकेश हत्याकांड के दो शूटर पुलिस मुठभेड़ में गिरफ्तार, गोली लगने के बाद अस्पताल में भर्ती

बुलंदशहर में मुकेश हत्याकांड के दो शूटर पुलिस मुठभेड़ में गिरफ्तार, गोली लगने के बाद अस्पताल में भर्ती

Leave a Reply

Discover more from Khabar 24 Express | India's Leading Hindi News Network

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Subscribe