Breaking News
BigRoz Big Roz
Home / Breaking News / દાહોદ જિલ્લામાં ફરતો કોરોના વાયરસનો ‘ *યમદૂત* ‘

દાહોદ જિલ્લામાં ફરતો કોરોના વાયરસનો ‘ *યમદૂત* ‘

દાહોદ જિલ્લામાં ફરતો કોરોના વાયરસનો ‘યમદૂત’
શીર્ષક વાંચીને ચોકી જવાની જરૂર નથી ! કોરોના વાયરસ સામે લોકોમાં હજુ વધારે જાગૃતિ આવે એ માટે થઇને દાહોદ જિલ્લામાં આરોગ્ય તંત્ર દ્વારા એક વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે અને તેના ભાગ રૂપે કોરોનાના પ્રતીકાત્મક યમદૂતને ફેરવવામાં આવી રહ્યો છે ! તેની સાથે રહેલા રંગલારંગલી નાટ્યાત્મક રીતે નાગરિકોને કોરોના વાયરસ સામે સાવચેતી રાખવા સમજાવે છે.


જિલ્લા મેલેરિયા અધિકારી ડો. અતીત ડામોરે માહિતી આપતા જણાવ્યું કે, એક ટ્રોલીમાં કોરોના વાયરસના યમદૂતનું પાત્ર ભજવવામાં આવી રહ્યું છે. લોકોનું સહજ રીતે ધ્યાન ખેંચી શકાય એ રીતે આ યમદૂતનો પ્રયોગ કરવામાં આવ્યો છે. તેમાં રંગલા રંગલીની નાટિકા પણ કરવામાં આવી રહી છે.
કોરોના વાયરસના યમદૂત સાથે રંગલા રંગલી દ્વારા નાટિકા રજૂ કરવામાં આવે છે. જેમાં હાસ્યરસ સાથે ભયરસને પણ ઉમેરવામાં આવ્યો છે. યમદૂત લોકોને કોરોના વાયરસ સામે સેનિટાઇઝેશન, માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ રાખવા માટે નાટ્યાત્મક રીતે સમજાવી રહ્યો છે.


જિલ્લા આરોગ્ય તંત્રના આ પ્રયોગ બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. દાહોદમાં નગરપાલિકા ચોક ખાતે આ પ્રયોગ કરવામાં આવ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ નાટકમંડળી ફરી હતી અને લોકોમાં જાગૃતિ પ્રસરાવી હતી. હજુ પણ જિલ્લામાં આ રથ ફેરવવાનું આયોજન છે.
૦૦૦

Follow us :

Check Also

बलसाड ते दानापुर आणि वापी ते गया दरम्यान कुंभमेळा साठी रेल्वे विशेष गाड्या चालवणार

प्रयागराज येथे दि. १३ जानेवारी २०२५ ते २६ फेब्रुवारी २०२५ या कालावधीत होणाऱ्या कुंभमेळा २०२५ …

Leave a Reply

error

Enjoy khabar 24 Express? Please spread the word :)

RSS
Follow by Email
YouTube
YouTube
Set Youtube Channel ID
Pinterest
Pinterest
fb-share-icon
LinkedIn
LinkedIn
Share
Instagram
Telegram
WhatsApp